|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

ગુરુવાર, 19 જાન્યુઆરી, 2012

મન શાંત રાખવાના સરળ ઊપાયો

(1) તમારી જાતને સુધારો,પારકી પંચાત કરવી નહી.

(2) કડવા ઘૂંટડા ગળી જવા, ઇર્ષા કરવી નહી.

(3) દેખા દેખીથી દુર રહેવું, ખોટી લાલચમાં આવવું નહી.

(4) વિચારીને બોલવું, શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું.

(5) માગ્યા વિના કોઇને પણ સલાહ આપવી નહી.

(6) તમારી સલાહને અનુસરે તેવી અપેક્ષા રાખશો નહી.

(7) તમારી જરૂરીયાતો ઘટાડો,ઓછી જરૂરીયાતોમાં જીવતા શીખો.

(8) કોઇની સાથે ખોટી દલીલબાજી કરવી નહી.

(9) તમારા કોઇ ખોટા વખાણ કરે તેવી અપેક્ષા રાખશો નહી.

(10) વર્તમાનમાં જીવો, ભવિષ્યની ખોટી ચિંતા કરવી નહી.

(11) વિકટ પરિસ્થિતિમાં શાંત રહેવું.

(12) વિચાર,વાણી,વર્તનમાં એક રૂપતા રાખો.

(13) સહન શીલતા કેળવો.

(14) તમારી ફરજ પ્રત્યે સભાન રહો.

(15) દરેક જીવોને નિ:સ્વાર્થ પ્રેમ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો