|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

મંગળવાર, 2 એપ્રિલ, 2013

ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ



ત્રણ ઉત્તમ લક્ષ્યનો મજાનો પ્રેરણાસ્તોત્ર !!
કેસરી રંગ :
======
જે ‘શૌર્ય’ અને ‘શહાદતની’ પ્રેરણા પૂરી પાડે છે. ભારતીય ઇતિહાસ પ્રમાણે જયારે પરદેશીયો આક્રમણ કરતા ત્યારે રાજપૂત રાજાઓ કેસરિયા વસ્ત્રો પરિધાન કરીને રણભૂમિમાં ‘યા હોમ’ કરીને ઝંપલાવીને વિરમૃત્યું પામતા. ત્યારે આજના મોજમજા અને એશ-આરામમાં મહાલતી યુવાપેઢીની ફરજ છે કે અવસર આવે ત્યારે રાષ્ટ્રરક્ષા-શીલ-સદાચાર-ધર્મ-સંસ્કૃતિ માટે આવું કેસરિયા કૌવત ખમીર દાખવે.
શ્વેત રંગ :
=====
જે ‘શાંતિમય સહઅસ્તિત્વ’ ની પ્રેરણા પૂરી પાડે છે. સહઅસ્તિત્વ-સુમેળમાં તાકાત વૃદ્ધી પામે છે, જે દેશની એકતામાં વધારો કરે છે.
લીલો રંગ :
=====
જે લીલાછમ-પ્રસન્ન-આનંદિત રેહવાની પ્રેરણા પૂરી પાડે છે. આજના અતિ વ્યસ્ત અને ‘સ્ટ્રેસ’ સભર યુગની સૌથી મોટી સમસ્યામાં આપણને પ્રસન્નતા ધરવાનો સંદેશ લીલો રંગ આપે છે.
એક સાચા ભારતીય તરીકે ઉપરના ત્રણેય રંગે આપણે સૌ રંગાઈએ એવી પ્રભુને પ્રાર્થના છે.
જય હિંદ…!! વંદે માતરમ…!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો