|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

બુધવાર, 3 એપ્રિલ, 2013

નવરાત્રિ...



નવરાત્રિ શરું થઇ એટલે આપણે બધા રાસ-ગરબા રમવા જશું… :)
પણ રાસ રમતાં રમતાં, નવરાત્રિ ઉજવતાં ઉજવતાં આપણે આ પ્રશ્નો પણ વિચારવાં જોઇએ…
 या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥

નવરાત્રિ નો તહેવાર શા માટે…?
નવરાત્રિના દિવસો એટલે શક્તિ ઉપાસનાના દિવસો…
જગતમાં કોઇપણ સારી વાત તે સારી છે એટલે નથી ટકતી પરંતુ તેને સામથ્યૅથી ટકાવી પડે છે તે વાત યાદ કરવાના દિવસો…
જો ધર્મના મુલ્યો ટકાવા હોય તો હાથ જોડી બેસી રહે નહી ચાલે.પણ શક્તિની ઉપાસના કરવી પડશે તે યાદ કરવાના દિવસો…
આજે ભારત થોડુ નિર્બળ થયેલુ છે કેમકે ભારત વેદ અને મહાભારતમાં બતાવેલી શક્તિ ઉપાસનાને ભુલી ગયું છે જયારે અમેરીકા,રશિયા,જર્મની જેવા દેશો શક્તિવધૅક વિચારોથી જ સમૃધ્ધ બન્યા છે…

નવરાત્રિમાં નવ દિવસ જ ગરબા કેમ રમવાના…?
જીવનમાં લક્ષ્મી,સરસ્વતિ અને શક્તિ આ ત્રણેય નુ મહત્વ છે…
તેથી ત્રણ દિવસ લક્ષ્મીની ઉપાસના, ત્રણ દિવસ સરસ્વતિની ઉપાસના, ત્રણ દિવસ શક્તિની ઉપાસના…

આપણે નવરાત્રિ પર ગરબા રમીએ તો તે ગરબા ગોળ જ કેમ રમીએ…?
આપણે જ્યારે ગરબા રમીએ છીએ ત્યારે માતાજીને મધ્યમાં રાખીએ છીએ તે જ રીતે આપણા જીવનમાં પણ ભગવાન પ્રમુખસ્થાને હોવો જોઇએ…
આપણે કોઇપણ કામ કરીએ પણ જો તે કામ ના મધ્ય્માં ભગવાન હશે તો તે કામ પણ ભક્તિ બની જશે…

નવરાત્રિના તહેવારમાં ગરબો હોય છે, આ ગરબો શેનું પ્રતિક છે…?
ગરબામાં અંદર દીવો હોય છે આ દીવો ત્યાં સુધી જ પ્રકાશ આપે જ્યાં સુધી તેમાં તેલ હોય. જેવુ તેલ પુરું કે દીવાનો પ્રકાશ પુરો…
તેવું જ માનવ શરીરનું છે જયાં સુધી અંદર ભગવાન બેઠો છે ત્યાં સુધી જ તેનું મહત્વ છે…જેવો અંદરનો રામ ગયો કે “રામ બોલો ભાઇ રામ…”
MAN – GOD = ZERO આ વાત આપણને યાદ રહે તે માટે દીવો છે…

જો આ વિચારીને નવરાત્રિ ઉજવીએ તો સાચા અર્થમાં નવરાત્રિ ઉજવી કહેવાય…:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો